સાહેબશ્રી,
ઉપરોક્ત વિષય ના અનુસંધાન માં જાણવાનું કે અમો આપની પાસેથી સલાહની અપેક્ષા રાખીએ છીએ.
વિષય : સ્વમાલિકી ની જમીન માં નામ અદલ - બદલ કરવા માટે ની સલાહ બાબત.
નામ : પ્રજાપતિ અંબાલાલ પશાભાઇ, રહેઠાણ મુ: પલીયડ તા: કલોલ, જી: ગાંધીનગર.
કેસ વિગત:
હું ગામ પલીયડ સર્વે નંબર ૬૮૮ વાળી જમીન મારા પિતા (પ્રજાપતિ પશાભાઇ બોગારામ -મૈયત) ની માલિકી ની ધરાવું છું જેનો દસ્તાવેજ મારા પિતાશ્રી ના એકલા જ નામે છે. અને પિતાશ્રી ની મૈયત થઇ હોવાથી અમોએ આ જમીન માં વારસાઈ કરાવેલ છે. જેના નામ નીચે મુજબ છે.
૧. પ્રજાપતિ અંબાલાલ પશાભાઇ
૨. પ્રજાપતિ કાંતાબેન પશાભાઇ
૩. પ્રજાપતિ કૈલાશબેન પશાભાઇ
સર્વે નંબર ૬૮૮ વાળી જમીન મારા કાકા (પ્રજાપતિ તળશીભાઈ બોગારામ -મૈયત) ને ભાઈ-ભાગલે મળેલ છે અને ભોગવટો પણ મારા કાકા ના વારસદારો જ કરે છે. એમના વરસદરો નીચે મુજબ છે.
૧. પ્રજાપતિ રાજીબેન તળશીભાઈ
૨. પ્રજાપતિ જીવીબેન તળશીભાઈ
૩. પ્રજાપતિ ગીતાબેન તળશીભાઈ
૪. પ્રજાપતિ બાબુભાઈ તળશીભાઈ
૫. પ્રજાપતિ કમલેશભાઈ તળશીભાઈ
૬. પ્રજાપતિ અશોકભાઈ તળશીભાઈ
સર્વે નંબર ૬૮૮ વળી જમીન માં અમો (પ્રજાપતિ અંબાલાલ પશાભાઇ) અમારા બંને કાકા ના નામ અમારી સંમતિથી દાખલ કરવા માંગીએ છીએ (વેચાણથી નહિ) જેમાં અમો કંઈજ રોકડ કે બીજી અપેક્ષા રાખતા નથી. સર્વે નંબર ૬૮૮ વળી જમીન ૨ વીઘા નો વિસ્તાર છે, જેમાં
૧ ૧/૨ (દોઢ વીઘો) પ્રજાપતિ તળશીભાઈ બોગારામ -મૈયત ને ભાઈ-ભાગલે આપેલ છે જયારે ૧/૨ (અડધો વીઘો) જમીન પ્રજાપતિ ઈશ્વરભાઈ બોગારામ - હયાત ને ભાઈ ભાગલે આપેલ છે.
હવે, સર્વે નંબર ૬૭૩ અને ૬૬૦બ વાળી જમીન માં નીચે મુજબ મારા પિતાશ્રી અને એમના બે ભાઈ ના નામ છે.
-
સર્વે નંબર ૬૭૩ અને ૬૬૦બ વાળી જમીન
- પ્રજાપતિ પશાભાઇ બોગારામ -મૈયત
- પ્રજાપતિ તળશીભાઈ બોગારામ -મૈયત
- પ્રજાપતિ ઈશ્વરભાઈ બોગારામ - હયાત
આ કેસ માં અમો તમારી પાસે કાયદાકીય જોગવાઈ અનુસાર સલાહ ની અપેક્ષા રાખીએ છીએ.